• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • AAPનું ‘મફત વીજળી આપો’ આંદોલન, વીજળી મુદ્દે મહાજનસંપર્ક કરવાનું આયોજન...

AAPનું ‘મફત વીજળી આપો’ આંદોલન, વીજળી મુદ્દે મહાજનસંપર્ક કરવાનું આયોજન...

01:23 PM June 14, 2022 Admin Share on WhatsApp



આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને ધ્યાને રાખી રાજકારણમાં આગળ વધતું જણાય છે. આમ આદમી પાર્ટીએ શિક્ષણ મુદ્દે ગુજરાત સરકારનો ઘેરાવ કર્યા બાદ મફત વીજળી [Free Electricity]ના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જે અંતર્ગત 15 જૂનના રોજથી આમ આદમી પાર્ટી વીજળી મુદ્દે આંદોલન અને જનસંપર્કની શરૂઆત કરશે.

AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ અમદાવાદ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે આગામી સમયમાં વીજળી અને શિક્ષણ [Education]ના મુદ્દા ઉઠાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલીયા [Gopal Italiya]એ જણાવ્યું હતું કે, “સમગ્ર દેશમાં માત્ર દિલ્હી એક છે જે જનતાને મફતમાં વીજળી આપે છે અ આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવા જઈ રહી છે. જો પંજાબ અને દિલ્હીને મફત વીજળી મળી શકે તો ગુજરાતની જનતાને કેમ નહીં. માટે આગામી સમયમાં આ માંગણી સાથે આંદોલન શરૂ કરવા જઈ રહ્યાં છીએ. કારણ કેસ, ગુજરાતમાં લોકોને વીજળીના ભાવના નામે લૂંટવામાં આવી રહ્યાં છે?  આ લૂંટમાંથી પ્રજાને બચાવવા અમે આવનારા સમયમાં વીજળીના મુદ્દે આગળ વધવાના છીએ.”

વધુમાં તેમણે આગામી 15 જૂનના રોજથી આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં વીજળી માટેનું આંદોલન કરવા તેમજ જિલ્લા વાઈઝ પત્રકાર પરિષદ યોજી મફત વીજળીની માંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

સાથે જ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા ઈટાલીયાએ કહ્યું કે, “આમ આદમી પાર્ટી હવે જનતાને લૂંટવા માટે ભાજપના લોકોએ વીજ કંપનીઓ સાથે મળીને બનાવેલા પ્લાનને રોકવાનું કામ કરશે.” સાથે જ તેમણે જણાવ્યું હતું કે વીજળી મુદ્દે રાજ્યભરમાં લોક સંપર્ક પણ કરવામાં આવશે. જે અંતર્ગત તારીખ 16 જૂનથી તારીખ 24 જૂન સુધી લોકસંપર્કનો દૌર નક્કી કરવામાં આવ્યો છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us